The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર
The principle of karma: કર્મ નો સિદ્ધાંત
The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર.કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર.ફળની ઈચ્છા રાખીશ નહિ જેવુ કર્મ તું કરીશ એવુ જ તને ફળ મળશે.
માણસ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એનુ શુ પરિણામ આવશે તે કોઈ નથી જાણતુ હોતુ.જાણતા-અજાણતા આપણા થી કોઈ એવુ કર્મ થઈ જાય છે સારું કે ખરાબ જે વ્યક્તિએ સમયાંતરે એને ભોગાવુ જ પડે છે.માણસ કોઈ છોડ લગાવે ત્યારે અમુક વરસ પછી એ વૃક્ષ બની જાય છે,ફળ આપે છે, છાયો આપે છે.વરસો પહેલા રોપેલ છોડ વૃક્ષ બની જાય છે કર્મનું પણ આવુ જ છે.
આજ કરશો તો કાલ ભરવુ જ પડશે સારુ કે ખરાબ.જેવુ તમે વાવશો તેવુ જ તમે લણશો.કર્મ અને એના પરિણામથી કોઈ બચી શકયુ નથી ન બચી શકશે.ઈશ્વર માટે સૌ સરખા હોય છે.આજ કોઈનો વારો તો કાલ કોઈનો વારો હશે.જેટલું મોડુ કર્મનો હિસાબ થાય છે તેટલું વ્યાજ વધારે ચૂકવું પડે છે.એટલે હંમેશા કર્મના સિદ્ધાંત પર ચાલવુ જોઈએ.જેવુ કરશો તેવુ જ ભરશો..