PM Will Launch Mission Life

PM Will Launch Mission Life: PM મોદીએ મિશન લાઇફનું લોન્ચિંગ કર્યુ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના

PM Will Launch Mission Life: નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ એન્ડ કોર્પોરેશન ઓફ બોટસવાના ટુ ઇન્ડિયા ડો.લેમોગેંગ કવાપે મુલાકાત કરી

રાજપીપળા, 20 ઓક્ટોબરઃ PM Will Launch Mission Life: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના છે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતુ કે, ક્લાઈમેન્ટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે. ભારત ક્લાયમેન્ટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્યો છે. આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યું છે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ એન્ડ કોર્પોરેશન ઓફ બોટસવાના ટુ ઇન્ડિયા ડો.લેમોગેંગ કવાપે મુલાકાત કરી હતી. આ તબક્કે વૈશ્વિક મુદ્દાઓને લઈને બંને વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ AAP declares 6th list candidates: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપે છઠ્ઠી યાદી જાહેર કરી- જુઓ કોણ કોણ આ યાદીમાં સામેલ?

આ સાથે જ 120 દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આ અવસરે 05 જૂન 2022ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લૉન્ચ થયેલી વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી-LiFE ઝુંબેશ’માં ભારતના યોગદાન, પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ પર વર્ણન કરવાનું ચોક્કસ યોગ્ય લાગે. ભારતની સફળતા પર નજર કરીએ તે પહેલા મિશન લાઈફ શું છે અને ભારતનું સ્થાન ક્યાં છે, પર્યાવરણના રક્ષણ-જાળવણી ક્ષેત્રે આપણે કેટલું આગવું સ્થાન ધરાવીએ છીએ, તેની ABCD જાણી લઈએ.

ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 26) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ માનવ–કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે તેના સમાધાન માટે સમયની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે.

મિશન LiFEનો ઉદ્દેશ્યની વાત કરીએ તો, મિશન LiFE વર્ષ 22-23થી વર્ષ 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતની અંદર વર્ષ-2028 સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે 20 ટકાનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચોઃ King of Salangpur Project: સાળંગપુર ધામ ખાતે નિર્માણ પામી રહેલા કિંગ ઓફ સાળંગપુરના હનુમાનજી મહારાજાનું વિશાળ મુખારવિંદ પહોંચ્યું

Gujarati banner 01