કાલથી બદલાશે તમારા ફોનની કોલરટ્યૂન, આવી હશે નવી ટ્યૂન
નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ 16 જાન્યુઆરીથી જયારે વેક્સિનેશનની પ્રક્રિયા શરુ થઇ રહી છે તો બીજી બાજુ કોરોના સંક્રમણની રફ્તાર પણ ધીમી પડી રહી છે. એ ઉપરાંત સૌથી વધુ જરૂરી વાત જેનાથી દેશની મોટી આબાદી પરેશાન હતી, એ હતી કોલર ટ્યુન. ત્યારે હવે કોલરટ્યૂનથી પણ મુક્તિ મળવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વર્ષ 2020માં 6 મહિનાથી વધુ સમય આપડે કોલરટ્યૂન સાંભળી જેની શરૂઆત ખાંસીની અવાજથી થતી હતી. ત્યાર પછી અમિતાભ બચ્ચનના અવાજમાં પણ કોલર ટ્યુન આવી. જેમાં વિસ્તારથી કોરોનાથી બચવાના નિયમોં વિસ્તારથી જણાવે છે.
હવે જયારે 16 જાન્યુઆરીથી શરુ થનાર વેક્સિનેશનની શુભેચ્છા આપતી કોલર ટ્યુન વાગશે. જેનો ઉપયોગ કોવિડ -19 વેક્સિનેશનના ડ્રાઈવ અંગે જાગૃતતા માટે કરવામાં આવશે.
કોલર ટ્યુનમાં કહે છે કે, નવું વર્ષ કોવિડ-19ની વેક્સિનના રૂપમાં નવી આશાની કિરણ લઈને આવ્યું છે. ભારતમાં તૈયાર થયેલી વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી છે . અફવાઓ પર વિશ્વાસ ન કરો.
આ પણ વાંચો…
નવો નિયમ: લેન્ડલાઈનથી મોબાઈલ પર ફોન ડાયલ કરતી વખતે, આ નહીં કરો તો નહિ લાગે ફોન