યાત્રા ધામે જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ તારીખે ખુલી રહ્યા છે બદ્રીનાથ(Badrinath) ધામના કપાટ
ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ કોરોના કાળના કારણે ચારધામ યાત્રા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે કોઇપણ યાત્રાધામે દર્શનયાત્રીઓને જવાની પરવાનગી ન હતી. પરંતુ હવે કોરોનાના કહેરમાં રાહત જોવા મળી રહી છે. તેથી શ્રી બદ્રીનાથ(Badrinath) ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
મે મહિનાની 18 તારીખે સવારે ચાર વાગ્યે પંદર મિનિટે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. વસંત પંચમીના અવસર પર ચારધામ ઓથોરિટી દ્વારા આ તારીખની જાહેરાત કરવામાં આવી.સ્વાભાવિક છે કે આ તારીખથી એક દિવસ પહેલા કે પછી શ્રી કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.
આ પણ વાંચો…
Fastag offer: ફાસ્ટેગ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ રીતે લાભ ઉઠાવો ડિસ્કાઉન્ટ ઓફરનો…