નવા વર્ષની પહેલી એકાદશીઃ જાણો પોષ એકાદશીની તીથિ અને સમાપનનો સમય
ધર્મ ડેસ્ક, 09 જાન્યુઆરીઃ પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી નવ જાન્યુઆરીના રોજ શનિવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને કારણે આને પોષ એકાદશી પણ કહે છે
આ દિવસે ભગવાન વિષ્ણૂની પૂજા કરવાનુ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે.આ વ્રતને જે મનુષ્ય નિયમ અને સાચા હ્રદયથી કરે છે તેને સફળતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
એકાદશી તિથિનો પારણનો સમય
- એકાદશી તિથિની શરૂઆત 8 જાન્યુઆરી એટલે કે શુક્રવારે રાત્રે 9 વાગીને 40 મિનિટથી થશે અને તેનુ સમાપન – 9 જાન્યુઆરી 2021 એટલે શનિવારે રાત્રે 07 વાગીને 15 મિનિટે થશે.
- જો તમે વ્રતના પારણ કરવા માંગતા હોય તો પારણનો સમય 10 જાન્યુઆરી એટલે કે દ્વાદશી તિથિના રોજ સવારે 7 વાગીને 15 મિનિટથી 9 વાગીને 21 મિનિટ સુધી કુલ 2 કલાકનો રહેશે.
આ પણ વાંચો…
રાજદ્રોહ કેસમાં કંગના થઈ હાજરઃ અભિનેત્રીએ કહ્યું- શા માટે મને ટોર્ચર કરવામાં આવી રહી છે?, જુઓ વીડિયો