Summary of development works at Ambaji: ભુપેન્દ્ર પટેલ અંબા માતાના દર્શને, અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના થશે ખાતમુહૂર્ત
Summary of development works at Ambaji: આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
અંબાજી, 26 સપ્ટેમ્બરઃSummary of development works at Ambaji: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી ગજેંદ્રસિંહ પરમાર તથા કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઈ પટેલ અને દિનેશભાઈ આનાવાડીયા મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવ હારિત શુક્લા, વિકાસ કમિશનર સંદીપ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Mann Ki Baat Listening Program: જામનગરના રામ મંદિર ખાતે સામૂહિક મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો