Gujarat CM Diwali: ગુજરાતમાં ઠેર-ઠેર દીપોત્સવનું આયોજન, મુખ્યમંત્રીએ પોતાના ઘરે મનાવી દીવાળી
Gujarat CM Diwali: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા
અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Gujarat CM Diwali: ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દીપોત્સવનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંઘ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો… Sydney Ram Utsav: રામ ભક્તિમાં મગ્ન થયું ઓસ્ટ્રેલિયા, રામા ફાઉન્ડેશન દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય મહોત્સવ