Home temple

Vastu Tips For Temple: શું તમે પણ મંદિરમાં રાખો છો માચીસ? એક વાર જરુર વાંચજો સંપૂર્ણ અહેવાલ

Vastu Tips For Temple: પૂજા ઘરમાં માચીસ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે

ધર્મ ડેસ્ક, 12 જૂનઃ Vastu Tips For Temple: જીવનમાં આગળ વધવા માટે માત્ર મહેનત જ પૂરતી નથી. તેના માટે ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે. કેટલીક ભૂલોને કારણે તમે નુકશાન પણ થતું હોય છે પરંતુ વસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેના ઉપાયો પણ છે. જેમાં એક માચીસ બોક્સ સાથે પણ સંબંધિત છે. ઘણા લોકો માચીસને ઘરે મંદિર અથવા પૂજા ઘરમાં રાખે છે. જેના કારણે તમારા જીવનને પર અસર પડી રહી છે અને તમને તેનો ખ્યાલ પણ નથી. આજે અમે તમને આ વિષય પર મોટી માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ઘરના મંદિરમાં માચીસ બોક્સ રાખવાની મનાઈ છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરમાં માચીસ બોક્સ (બાક્સ) રાખવાની મનાઈ માનવામાં આવે છે. આમ કરવાથી અનેક પ્રકારની આડ અસરો ભોગવવી પડી શકે છે. વાસ્તવમાં, પૂજા સ્થળ આપણા ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે, જ્યાં કોઈપણ જ્વલનશીલ સામગ્રી ન રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ જાણતા-અજાણતા આવું કરે છે તો તેનું નુકસાન તેને ભોગવવું પડે છે.

નકારાત્મક શક્તિઓ આકર્ષિત થવા લાગે છે

જ્યોતિષીઓના મતે, પૂજા ઘરમાં માચીસ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. આ અશુભ શક્તિઓ આપણા બધા ચાલુ કાર્યોમાં અવરોધ ઊભો કરીને શુભ કાર્યોમાં વિલંબ કરવા લાગે છે. આ નકારાત્મક શક્તિઓને કારણે ઘરમાં પૈસાની અછત રહે છે અને માથા પર દેવાનો બોજ પણ વધી જાય છે. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.

માચીસને ઘરમાં આ સ્થાન પર રાખવું જોઈએ

વાસ્તુશાસ્ત્રી અનુસાર, ઘરમાં માચીસ બોક્સ રાખવા માટે બંધ જગ્યા અથવા બંધ કબાટ નો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે અને પરિવારની પ્રગતિ થાય છે. તેનાથી પરિવારમાં ધનનો પ્રવાહ વધે છે અને બાળકો તરફથી સારા સમાચાર મળે છે.

(આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો)

આ પણ વાંચો… Biperjoy Cyclone new update: બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદા સામે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો