Ambaji yatra:ભાદરવીપુનમ ને ગયે છ દિવસ થઈ ગયા છતા શક્તિપીઠ અંબાજી માં યાત્રીકોનો ઘસારો અવિરત
Ambaji yatra: ભાદરવી પુનમે મોટો મેળાવડો થતો હોવાથી શ્રધ્ધાળુઓ એ શ્રાધ્દુક્ષ માંપણ માતાજી ના દર્શને સંઘો પહોચી રહ્યા છે
અહેવાલઃ મહેન્દ્ર અગ્રવાલ
અંબાજી, 27 સપ્ટેમ્બરઃ Ambaji yatra: શ્રાધ્ધપક્ષ માં યાત્રા અવિરત ..જી હા ભાદરવીપુનમ ને ગયે છ દિવસ થઈ ગયા છતા શક્તિપીઠ અંબાજી માં યાત્રીકોનો ઘસારો અવિરત જોવામળી રહ્યો છે ભાદરવી પુનમે મોટો મેળાવડો થતો હોવાથી શ્રધ્ધાળુઓ એ શ્રાધ્દુક્ષ માંપણ માતાજી ના દર્શને સંઘો પહોચી રહ્યા છે.
આજે ગુજરાત રાજ્ય તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સપન્ન રીતે પુર્ણ થયો છે અને અંબાજી મંદિર ખાતે વિવિઘ લોકો, સમાજ દ્વારા ધજા ચઢાવવામાં આવી છે ત્યારે આજે ગુજરાત રાજ્ય બપોરે સમસ્ત રાવળ દેવ સમાજનો મોટા સંઘ અંબાજી પહોચ્યો હતો જે 52 ગજ ની ધજા માત્ર નહી પણ 51 ડાકલા સાથે આ સંઘ અંબાજી પહોચી માંતાજી ને ધજા અર્પણ કરી હતી.
જોકે રાવળ સમાજે આ વખતે સૌપ્રથમ વખત માતાજી ને ધજા ચઢાવવાનુ આયોજન કર્યુ હતુ સાથે રાજ્યભર માં રાવળ સમાજ સંગઠીત થાય અને પોતાના રાવળના વાહક (સાજ) ડાકલા જે ડાક ના નામ થી ઓળખાય જે તે સમાજની પૌરાણીક સંસ્ક્રુતિ નુ સાજ હાલ ની નવી પેઢી માં ભુલાઈ ન જાય ને સાથે ડાકલા સાછે માતાજી ભક્તિ થાય તેમાટે ડાકલા સાથે આજે માતાજી ને ધજા ચડાવવાનુ આયોજન કરાયુ હતુ.