Archaeological Experiential Museum at vadnagar: વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે
Archaeological Experiential Museum at vadnagar: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો
વડનગર, 18 મેઃ Archaeological Experiential Museum at vadnagar: આજે મહાત્મા મંદિર ગાંધી વડનગરના ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આપણા દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ વિશેષતા બનશે. એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના લગાવમાંથી પ્રેરણા લઇ ગુજરાતે પ્રાચીન વારસા-વિરાસતના રક્ષણ-સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે. વડનગરમાં બનનારૂ આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ પ્રાચીન વૈભવ વારસાને વર્તમાન ટેક્નોલોજી સાથે નવિન ઢબે પ્રસ્તુત કરશે. કિર્તિતોરણ-શર્મિષ્ઠા તળાવ-બૌદ્ધવિહારો-મંદિરો-તાના રીરી સમાધિ વડનગરની ભવ્ય વિરાસતના વાહક છે
યુનેસ્કો-આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની સહભાગીતા તથા કેન્દ્ર સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝના સહયોગથી રાજ્યના પૂરાતત્વીય ભવ્ય વારસા અને ઐતિહાસિક સંસ્કૃતિને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વયથી વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. આ કાર્યક્રમની અંદર ભૂટાન, ભારત, માલદીવ્સ તથા શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ ની વિશેષ ઉપસ્થિતી રહી હતી.
(સોર્સઃ ન્યૂઝ સર્ચ)